સિંગતેલના ભાવ, એરંડા તેલના ભાવ, કપાસિયા તેલના ભાવ, મગફળી તેલના ભાવ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવો રહો. હોવાથી સોયાબીનના ખેડૂતોને બચાવવા માટે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ડ્યૂટીમાં ગત સપ્તાહે પોલિટીક્લ પ્રેશરથી સર ટકા જેવો વધારો કરી દીધો છે.
આ ડ્યૂટી વધારાની માત્ર સોયાબીનના ખેડૂતોને ફાયદો થશે. ડ્યૂટી વધવા છત્તા મગફળીના મસમોટા પાકને કારણે બજારો સતત તુટી રહ્યા છે અને સિંગતેલની બજારો પણ બીજા તમામ તેલથી ઉલ્ટી ચાલ ચાલી રહી છે.
સંગતેલ લુઝ ૧૦ કિલો તેલનો ભાવ આયાતી તેલત્તી ડ્યૂટી વધી એ પહેલા ૨.૧૫૭૫થી ૧૬૦૦ હતો, જ આજે ઘટીને રૂ.૧૪૦૦થી ૧૪રપની નીચી સપાટી પર આવો ગયો છે. આમ સિંગતેલમાં રૂ.૨૦૦ ઘટી ગયા છે. આ ઘટાડાની સીધી અસર મગફળીના ખેડૂતોને થશે.
અન્ય તેલો રૂ.૨૦૦ વધ્યા, સિંગતેલમાં રૂ.૨૦૦માં ઘટાડો , મગફળો ટેકાના ભાવમાં ઘટાડો…
ગુજરાતમાં નવી મગફળીની આવકી આજે વધીને ૫૦ હજાર બોરીની થઈ હતી અને આગામી સપ્તાહથી એક લાખ બોરીની આવકો થઈ જશે. આ કિસ્સામાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર જા.ગુજરાતમાં મગફળીની ની ભાવથી ઝડપી ખરીદો નહીં કરે તો ગુજરાતના ખેડૂતોને મોટી નુકસાનીનો અંદાજ છે.
ગુજરાતમાં મગફળોનો પાક ગત વર્ષે ૩૫ લાખ ટન જેવો થયો તો, જેની તુલનાએ આ વર્ષે ૪૦થી ૪પ લાખ ટનના પ્રાથમીક અંદાજો આવી રહ્યાં છે. અમુક મંદીવાળો વર્ગ ૫૦ લાખ ટનની પણ વાતો કરવા લાગ્યો હોવાથી મગફળીનો બજારો તુટી ગઈ છે.
- જામનગર પીઠામાં મગફળી-૯ નંબર ટોચ પર ભાવ…
- મગફળીના ભાવમાં ઘટાડો: ગામડેથી પણ વેચાણમાં ઘટાડો
- ગુજરાતમાં ચણાની ખુબજ આવકો સામે ખેડૂતોને સારા ચણાના ભાવ મળતા રહેશે
- એપ્રિલ મહિનાના અંત સુધીમાં ચણામાં ભાવમાં વધવાનો અંદાજ
મગફળીના ટેકાના ભાવ આ વર્ષે રૂ.૮૧ વધીને રૂ.૧૩૫૭ પ્રતિ મણ છે, જેની સામે બજાર ભાવ રૂ.૧૦૫૦થી ૧૨૦૦ની વચ્ચે ક્વોટ થાય છે. સરકાર જો વહેલી તકે ખરીદીની જાહેરાત નહીં કરો તો મગફળી આ વર્ષે રૂ.૧૦૦૦ની અંદર જત્તા વાર નહીં લાગે. આવી સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો ભૂપેન્દ્ર પટેલ સરકાર પાસે વહેલી તકે ખરીદી શરૂ કરવાની રાહમા છે.
નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ હોવા છત્તા ગુજરાત સરકારે હજી ખરીદી અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ગુજરાતનાં કૃષિ મંત્રી પણ જમીની સ્તરના અને ખેડૂતોના મન-મનની વાત જાણનારા હોવા છત્તા તેઓ પણ કોઈ શબ્દ ઉચ્ચારતા નથી. ગુજરાત સરકારે ખેડૂતોના લાભ માટે ખરીદો માટ લાભ પાંચમની રાહ જોયા વિના દશેરાએ ખરીદીનો ઘોડો દોડાવી દેવો જોઈએ..