Gujarat weather update today અશોકભાઇ પટેલની આગાહી: એક તરફ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે તો બીજી તરફ મેઘરાજાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે ૩૦ મી સપ્ટેમ્બર સુધીમાં કોઇ જગ્યાએ સામાન્ય તો કોઇક દિવસે ભારે અને આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુની વિદાય
તેઓએ જણાવેલ કે આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાછા ખેચાવાની લાઇન અનુપગઢ, જોધપુર, બિકાનેર, ભુજ અને દ્વારકા છે.
આગળ વધતી ચોમાસાની વિદાયની પ્રકિયા
આગામી ર૪ કલાક દરમ્યાન પ. રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરીયાણા, ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાયના સંજોગો અનુકુળ છે.
વિરોધાભાસ! અર્ધા કચ્છ-દ્વારકામાંથી ચોમાસાની વિદાય, બંગાળની સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ વરસાવશે…
મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં હવામાન
મધ્ય બંગાળની ખાડી ઉપર એક યુએસી છે જે પ.૮ કિ. મી. ની ઉંચાઇ સુધી લંબાય છે અને વધતી ઉંચાઇએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે. તેની અસર હેઠળ મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ર૪ કલાકમાં લોપ્રેસર થવાની શકયતા છે.
ગુજરાત અશોકભાઇ પટેલની આગાહી
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત માટે આગાહી કરતાં જણાવેલ કે તા. ર૪ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન બંગાળની ખાડીમાંથી આવતું યુએસી – લોપ્રેસરની અસરરૂપે સૌરાષ્ટ્ર – ગુજરાત – કચ્છમાં કોઇ કોઇ દિવસ છૂટાછવાયા વિસ્તારમાં અને કોઇ કોઇ દિવસ ઠીક-ઠીક વ્યાપક વિસ્તારમાં હળવો, મધ્યમ, સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે.
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી: સાયક્લોનિક સરક્યુલેશન-લો પ્રેસરની સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અસર થશે…
કયારે લેશે ગુજરાતમાં ચોમાસુ વિદાય
ચોમાસુ વિદાય તેમજ બંગાળની ખાડીમાંથી આવતું યુએસી/ લોપ્રેશર જેવા બે વિરોધીભાસી પરીબળોના લીધે સમગ્ર ગુજરાત રાજયના જિલ્લા/ વિસ્તાર પ્રમાણે વરસાદની માત્રામાં ઘણો ફર્ક જોવા મળશે.
નોંધઃ ગુજરાતમાં જે ભાગોમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ હોય ત્યાં વરસાદ પડે તો માવઠુ ગણાશે અને સામાન્ય માવઠાની સામાન્ય શકયતા છે.
- સૌની સિંચાઈ યોજના: ગુજરાત રાજ્ય મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ત્રંબા સૌની સિંચાઈ યોજનાને મંજૂરી આપી
- સરકારે ખેડૂતોને ભેટ આપી: નવા પ્રકારના કિસાન ક્રેડિટ કાર્ડની જાહેરાત કઈરીતે કરશો અરજી | Kisan Credit Card Loan Yojana
- સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય: ખેડૂતોના વીજ જોડાણના નિયમોમાં મોટા ફેરફાર 7-12ના ઉતારાવાળા માટે જરૂરી સમાચાર
- સરકાર તરફથી વધુ પાંચ વર્ષ મફત ઘઉં આપવાના નિર્ણયથી વેપારી સંગઠનો ખુશ
- મગફળીના ભાવમાં ઘટાડો: ગામડેથી પણ વેચાણમાં ઘટાડો