ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 પાકની MSP (ટેકાના ભાવમાં) વધારો કર્યો.

ટેકાના ભાવ એ શું છે

ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં તમારી ખરીદી કરે કરે છે. માર્કેટ માં ભાવ ઓછા હોય તો પણ સરકાર ન્નકી કરેલા ભાવ માં કરીદી કરી શકે એને MSP કેવાઈ (Minimum Support Price) કેવાઈ છે. ખેડૂત પાસે થી ખરીદી થઈ છે એના માટે પેલા તમારે નોધણી કરવાની હોય છે.

મગફળી ટેકાના ભાવ

ટેકાના ભાવ મગફળી વેચવા માટે તારીખ 25 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર દરમિયાન નોંધણી કરવામાં આવશે. અને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. અને પ્રતિ રૂ.1356 20 કિલોના ભાવે ખરીદી થશે.

સોયાબીન ટેકાના ભાવ

ટેકાના ભાવ સોયાબીન વેચવા માટે તારીખ 25 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર દરમિયાન નોંધણી કરવામાં આવશે. અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ 21 ઓક્ટોબર 2024 થી 90 દિવસ દરમિયાન કરવામાં આવશે. અને પ્રતિ 20 કિલો રૂ.977 ના ભાવે ખરીદી થશે.

મગ ટેકાના ભાવ

ટેકાના ભાવ મગ વેચવા માટે તારીખ 25 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર દરમિયાન નોંધણી કરવામાં આવશે. અને તા.21 ઓક્ટોબરથી મગ ટેકાના ભાવે મગફળી,મગ, અડદ, અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. મગ રૂ.1736 પ્રતિ 20 કિલોના ભાવે સરકાર ખરીદી કરશે.

અડદ ટેકાના ભાવ

ટેકાના ભાવે અડદ વેચવા માટે તારીખ 25 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર દરમિયાન નોંધણી કરવામાં આવશે. અને અડદ ટેકાના ભાવે ખરીદી 21 ઓક્ટોબર 2024 થી 90 દિવસ દરમિયાન કરવામાં આવશે. અને અડદ પ્રતિ રૂ.1480 20 કિલોના ભાવે ખરીદી થશે.

સરકાર ટેકાના ભાવે ખરીદી કેવી રીતે કરશે

રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન 2024 માં ખેડૂતમિત્રો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.

ટેકાના ભાવે રજીસ્ટ્રેશન દસ્તાવેજ

  • આધાર કાર્ડની નકલ,
  • મહેસુલ રેકર્ડ ગામ નમુનો ૭/૧૨ તથા ૮-અની અધતન નકલ,
  • ગામ નમુના- ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો,
  • પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક.

ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ખર્ચ

લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી થશે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE (વી.સી.ઈ. ઓપરેટર) ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.

ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ

આગોતરી નોંધણી માટે પોર્ટલ પર ખેડૂતમિત્રો જાતે અરજી કરી શકતા નથી, એટલે કે અહીં ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા વી.સી.ઈ. ઓપરેટર દ્વારા ઉપર આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. માટે ખેડૂતમિત્રોએ APMC (માર્કેટયાર્ડ) પર અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈ ને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

નોંધણી વખતે ધ્યામાં રાખવાની બાબત

નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતાં પહેલા ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જો ભળતા ડોક્યુમેન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયુ હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડુતને જાણ કરવામાં આવશે નહી.

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન સવાર ૯-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૯, ૨૬૪૦૭૬૦૧૦, ૨૬૪૦૭૬૦૧૧, અને ૨૬૪૦૭૬૦૧૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Leave a Comment