khedut khatedar: ગુજરાતમાં બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

khedut khatedar (ખેડૂત ખાતેદાર): પૂર્વ સ્પીકર રમણલાલ વોરા પણ ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત ખાતેદાર બન્યાં હોવાની મુખ્યમંત્રીને કરેવાદ થઇ છે ત્યારે ખેતીલક્ષી યોજનાઓનો લાભ 2 મેળવવા બિઝનેસમેન, ઉધોગપતિ સહિત ઘણાં લોકો બોગસ ખેડૂત ખાતેદાર થઇ રહ્યાં છે. આ ઉપરાંત ઘણાં એવા લોકો પણ છે જે ખરાં અર્થમાં કૃપિક્ષેત્રમાં વ્યસાવિક રસ દાખવે છે ૫ણ ખેડૂત ન હોવાને કારણે કૃષિની જમીન ખરીદી શકતા નથી.

આ જોતાં કૃષિ ક્ષેત્રે રોકાણ થાય, ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય મળે, એટલુ જ નહીં, ખેતીની જમીનો બિનખેતી થતા અટકે. આ બધાય કારણોસર હવે અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ કોઇપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે, રાજય સરકારે આ દિશામાં વિચારણા શરૂ કરી છે.

ગુજરાત એવું રાજ્ય છે જ્યાં પરીવાર મૂળભૂત રીતે ખેડૂત હોય તો જ ખેતીની જમીન ખરીદી શક છે. સાથે સાથે ખેડૂત 3 પરિવારને જ કૃષિલક્ષી લાભો મળે છે. આ પરિસ્થિતીને કારણે ઘણાં લોકો, બોગસ ખેડૂત ખાતેદાર બનવા અવનવાં અખતરાં કરે છે. રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારના ઘણાં કિસ્સા પણ સામે આવ્યા છે. ખેડા જિલ્લાના માતરમાં 500 બોગસ ખેડુત ખાતેદારો પકડાયાં હતા.

બોગસ ખેડૂત ખાતેદાર થતા અટકશે,ખેતીની જમીનો સચવાશે: કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં કોઇ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે…

આ ઉપરાંત રાજ્યમાં મોટાપાયે ખેતીની જમીનો બિનખેતીમાં પરિવર્તિત થઈ રહી છે. જો આ સ્થિતી રહી તો, ગુજરાતમાં ખેતીની જમીના જ નહીં રહે જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. આ કારણોસર હવે સરકાર બધાય પાસાની ચર્ચા કર્યા પછી એ નિર્ણય લેવા જઈ છે કે, ઓર્ગેનિક ખેતી ઉપરાંત બાગાયત હેતુથી કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે.

આ રાજ્યોમાં માત્ર ખેડૂત જ ખાતેદાર બની શકે

સૂત્રોનું કહેવુ છે કે, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, સિક્કિમ, મિઝોરમ, ઉત્તરાખંડ, ગોવા ઉપરાંત ગુજરાતમાં માત્ર ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે. જોકે, ઉત્તરપ્રદેશ, કેરાલા, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, આસામ, પંજાબ, તેલગાણાં સહિતના રાજ્યોમાં ખેતીની જમીન ખરીદવાના નિયમો હળવા છે.

આ રાજ્યોમાં કોઇપણ વ્યક્તિ કલેકટર સહિત સ્થાનિક તંત્રની મંજૂરી મેળવીને ખેતીની જમીન ખરીદી શકે છે. મહત્વની વાત છે કે, ગુજરાતમાં લેન્ડરીફોર્મ માટે સીએલસીના કમિટીનો રિપોર્ટ સરકારને સમંત કરાયો છે તેમાં પણ ખેતીની જમીન કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે તેવી ભલામણ કરાઈ છે.

આજે કૃષિક્ષેત્રે રોજગારની અનેક તકો રહેલી છે ત્યારે વ્યવસાયિકો વૈવિધ્યસભર ખેતી કરી શકે તે હેતુથી રાજ્ય સરકારે આ દિશામાં વિચારણા હાથ ધરી છે. જો ગુજરાતમાં ખેતીની જમીનની ખરીદીને લઇને છૂટછાટ અપાશે તો, કૃષિક્ષેત્રમાં પણ રોકાણ આવી શકે છે.

બિન ખેડૂત ખાતેદારો ખેતીની જમીન ખરીદશે તો ખેતીની જમીનો બિનખેતી થતાં અટકશે. બોગસ ખેડુત ખાતેદાર થવાના કિસ્સા અટકી જશે.

ઉલ્લેખનીય વાત એ છે કે હાલ ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો બિન ખેડૂત ખાતેદાર સાથે કરાર કરીને ખેતી કરી શકે તેવી પણ સરકારે જોગવાઈ કરી શકે છે.

ગુજરાતમાં માત્ર ઔધોગિક ક્ષેત્રે જ નહીં પણ કૃષિક્ષેત્રે પણ સમૃદ્ધ રાજ્ય બને તે માટે રાજ્ય સરકાર આ દિશામાં પહેલ કરવા જઈ રહી છે.

Leave a Comment